મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં જ ઝવેરચંદ મેઘાણીની "સૌરાષ્ટ્રની રસધાર ૧" નું અક્ષરાંકન
પૂર્ણ થયું છે, અન્ય પરિયોજના "રસિકવલ્લભ" નું અક્ષરાંકન ૭૦% જેટલું પૂર્ણ થયું છે
અને તેના પદો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૩૨ હેઠળ ઝવેરચંદ મેઘાણી
રચિત સ્વતંત્રતાની લડતમાં જોશ જગાવવા રચાયેલા શૌર્યગીતોનો સંગ્રહ "સિંધુડો" સ્રોત
પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ કાવ્ય સંગ્રહ પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ પણ લગાવ્યો
હતો. ગુજરાતી ભાષાની આ વીર કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ સૌ વીરો પણ નીચે
આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા