મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણીની "સૌરાષ્ટ્રની રસધાર
૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. લોકસાહિત્ય દ્વારા સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક અને રાજકીય
ઈતિહાસની ઝાંખી આપતું આ પુસ્તક જુના કાળના સૌરાષ્ટ્રિય જીવન વિષે માહિતી આપે છે. આ પરિયોજના
૧૩-૦૯-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૧૦-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
પુસ્તકના અમુક પ્રકરણો પહેલેથી મોજૂદ હતાં. બાકી પ્રકરણોને આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ
(અમદાવાદ), કાર્તિકભાઈ મિસ્ત્રી, સુશાંત (મુંબઈ) ઉન્નતીબેન સાંઘાણી (બહેરીન), અશોકભાઈ
મોઢવાડીયા (જૂનાગઢ) એ સાથે મળી પૂર્ણ કર્યા હતાં. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
ઝવેરચંદ મેઘાણીની આ રસભરી કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે
સુશાંત સાવલા
Show replies by date