મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા રચિત
ચરિત્રલકથા "ઈશુ ખ્રિસ્ત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. વિશ્વના સૌથી વધુ ફેલાયેલા
એક ધર્મના સ્થાપકના જીવન, વિચાર અને ઉપદેશને આવરી લેતી આ એક નાનકડી પુસ્તિકા છે. આ પરિયોજના
૩૧-૦૮-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૯-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.
શ્રી. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાની આ આધ્યાત્મપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ
છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%88%E0%AA%B6%E0%AB%81_%E0%AA%96%E0%AB%…
સુશાંત સાવલા