મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ભક્ત કવિ દયારામ રચિત "રસિકવલ્લભ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ કૃતિ શ્રીકૃષ્ણની ભક્તિ અને આધ્યાત્મિક પદોનો સંગ્રહ છે આ પરિયોજના ૨-૧૦-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૧૧-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ), ધર્મેશભાઈ (હૈદરાબાદ), ધવલભાઈ ભાવસાર (બારડોલી), કોકિલાબેન મિસ્ત્રી, કાર્તિકભાઈ મિસ્ત્રી અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

કવિ દયારામની આ ભક્તિ-રસિક કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >