શું આપણે આવા કોઇ દુર્લભ પુસ્તક મેળવી નવી પરિયોજના તરીકે હાથ પર લઈ શકીયે? અમદાવાદ ખાતે ના મિત્રોને કદાચ નીચે ના પુસ્તકો મેળવવામાં અનુકુળતા રહે તો કામ કરવાની બહુ મજા પડૅ...
અમદાવાદની પોળોમાં માત્ર અડોઅડ આવેલાં ઘરોમાં કળા કારીગરીને જીવંત કરવામાં વિમલ શાહનું નામ દઈ શકાય. ભીમદેવ રાજાના જૈન પ્રધાન વિમલ શાહે ૧૦૩૨ની સાલમાં આબુનું મંદિર બંધાવ્યું હતું. વિમલ શાહના પ્રપૌત્રોએ
અમદાવાદમાં કેટલીક પોળમાં કલાત્મક રીતે ઘરો-બનાવ્યા. રાજવલ્લભ, પરિમાણ, મંજરી, બૃહતસંહિના શિલ્પશાસ્ત્ર જેવા પુરાણગ્રંથોમાં મંદિરો અને મહેલો બાંધવા માટે જે નિયમો હતા અને કારીગરીની વિગતો હતી તે પ્રમાણે પોળોમાં ઘરો બાંધવા માંડ્યા. દીવાલની ઊંચાઈ, બારી-બારણાની ઊંચાઈ અને બીજી ઝીણવટભરી વિગતોનું પોળોના ઘરો બાંધતી વખતે ઘ્યાન આપવા
માંડ્યું.